Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

કોરોના સંક્રમણ માંથી સારવાર લઈને સાજા થયેલા દર્દીઓનું મૃત્યુ થવાનું કે તેમને અન્ય કોઈ ગંભીર બિમારી થવાનો ખતરો હોય છે તેમ વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે . સાજા થયેલા દર્દીઓને ૬ મહિના સુધી આવા જોખમોનો સામનો કરવાની વધુ નોબત આવી છે . આવા જોખમી લોકોમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે કે જેમને કોરોનાનું સંક્રમણ થયું હોય પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી હોય . કોરોનાનાં અત્યાર સુધી કરાયેલા અભ્યાસમાં આ ગંભીર બાબત સામે આવી છે . નેચર પત્રિકામાં આ અભ્યાસ પ્રસિધ્ધ કરાયો છે જેમાં એવું જણાવાયું છે કે આવનારા કેટલાક વર્ષો સુધી વિશ્વની વસ્તી ઉપર કોરોનાની બિમારીનો બોજ પડવાનું ચાલુ રહેશે . અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેડિસિનનાં રિસર્ચર્સ દ્વારા કોરોના સાથે સંલગ્ન બિમારીઓની એક યાદી બનાવવામાં આવી છે જેમાં કોરોના પછી થનારી બિમારીનો ઉલ્લેખ કરાયો છે .

કોરોના શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે

અભ્યાસમાં જણાવાયું છે કે કોરોનામાં પહેલા શ્વાસને લગતી બિમારી શરૂ થાય છે પણ પછી તે શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે . આ અભ્યાસમાં કોરોનાનાં 87 હજાર દર્દીઓ તેમજ 50ઝ લાખ અન્ય દર્દીઓ કે જેઓ કોરોનામાંથી સાજા થયા હતા તેમનો અભ્યાસ કરાયો હતો . અભ્યાસનાં મુખ્ય લેખક પ્રો . ઝિયાદ અલ અલીએ કહ્યું હતું કે રોગની ખબર પડયા પછી ૬ મહિના બાદ પણ કોરોનાનાં મામૂલી કેસમાં મોતનું જોખમ ઓછું થતું નથી . અન્ય બિમારીની ગંભીરતા વધી જાય છે . ડોકટરોએ આવા દર્દીઓની લાંબા સમય સુધી સારવાર કરવી જોઈએ કે દેખભાળ રાખવી જોઈએ .

સંબંધિત પોસ્ટ

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24