Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

  • ફતેપુરા તાલુકા ના મુખ્ય મંથકે કરોડો રૂપિયા ની જગ્યા ઓ પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરતા ખાનગી જમીન માલીકો ને છુટોદોર
  • ફતેપુરા ગ્રામપંચાયત, સરકારી તંત્ર ની રહેમ નજર હેઠળ જમીન માફીયા ઓને ધી કેળા
  • Advertisement
  • સરકારી માપણી કરતા વિભાગોની માપણી પણ શંકાના દાયરામા

ફતેપુરા તાલુકા માં દિન પ્રતિ દિન જમીન માફીયાઓ એ માથું ઉચકયુ છે ફતેપુરા ગ્રામપંચાયત થી લઇને તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત જીલ્લા ના અધિકારીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો સામે કાયઁવાહી ન કરતા ખાનગી જમીન માલીકો ને મોકળું મેદાન મળ્યુ છે ફતેપુરા માં છેલ્લા છ મહિના માં કરોડો રૂપિયા ની સરકારી જમીનો માં ગેરકાયદેસર બાંધકામો થવા પામ્યા છે ત્યારે સરકારી તંત્ર દેખતી આંખે આંખ આડાકાન કરી રહ્યું છે જેને લઇને અધિકારી ઓની કામગીરી પણ શંકાના દાયરામા આવી છે ફતેપુરા મામલતદાર કચેરી ના મેઇન ગેટ નજીક સરકારી જગ્યા મા ખાનગી જમીન માલીકે પોતાની જગ્યા ની સાથે સાથે સરકારી જગ્યા નો ખરાપો ખોદી ગેરકાયદેસર બાંધકામ કરી બે માળ નુ કોમ્પલેક્ષ બનાવી કરોડો રૂપિયા ની જમીન પચાવી ભષ્ટ્રાચાર આચરયો છે તેની જ સામે આવેલ વષો જુના પાણીના નાળા પર ખાનગી જમીન માલીક દ્વારા વીસ ફુટની પોતાની જગ્યા પર ચાલીસ ફુટ જેટલી જગ્યા દબાવી કરોડો રૂપિયા ની જગ્યા ચાઉં કરવામાં આવી છે ફતેપુરા ના ગ્રામતળ વિસ્તાર સહિત નજીક મા આવેલ સરકારી ખરાપાઓ માં લોકો દ્વારા બે ફામ ડુંગરાઓ ખોદી સરકારી જગ્યાઓ સરખી કરી મકાનો બાંધવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મા જ બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફતેપુરા નગર માં આવેલ વષોજુના તળાવની પાળ ખાનગી જમીન માલીક દ્વારા તોડી પાડી સરકારી પાળ ની જગ્યા સરખી કરી પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે તંત્ર દ્વારા સરકારી જગ્યાઓ મા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો ને વોરનીગ આપી, નોટીસ આપી સંતોષ માણવામા આવે છે પરંતુ કડક કાયઁવાહી કરાતી નથી જમીન ની માપણી પણ સરકારી વિભાગો દ્વારા ખોટી કરી ખાનગી જમીન માલીકો ને ફાયદો કરાતો હોવાનો ગામ લોકો બળાપો કરી રહ્યા છે ફતેપુરા માં સરકારી તંત્ર ની રહેમ નજરને લઇને લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે તંત્ર દ્વારા જમીન માફીયા ઓ વિરુદ્ધ કડક હાથે કાયઁવાહી ન કરાતા ફતેપુરા તાલુકા ના લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે

સંબંધિત પોસ્ટ

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin