Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

દાહોદ એલ.સી.બી પોલીસને કુશલગઢ થી ઇંગ્લિશ દારૂ ભરી સુખસર માંથી ટ્રક પસાર થવાની હોવા બાબતે મળેલ ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના સુખસર માંથી દારૂ ભરી ટ્રક પસાર થવાની હોવા બાબતે બાતમી મળતા બાતમી વાળી ટ્રક શંકાસ્પદ હાલતમાં ઝાલોદ થી સુખસર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી ટ્રક નંબર- આર.જે-૦૩.જીએ-૦૬૮૭.ની તલાશી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનાની તપાસ કરતા ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૪૫ મળી આવી હતી.જેમાં બોટલોની ગણતરી કરતા ૨૧૬૦ જેની કિંમત રૂપિયા-૩૨૪૦૦૦/- નો દારૂ પોલીસ ને મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત-૩૦૦૦૦૦/- તથા ટ્રકમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૨ જેની કિંમત રૂપિયા-૧૦,૦૦૦/- મળી કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
જ્યારે દારૂ વહન કરતાં બે ખેપિયાઓની પૂછપરછ કરતા પોતાનું નામ શંકરભાઈ પ્રેમાજી ગાયરી રહે. દરોલી,તાલુકો-જિલ્લો ઉદયપુર(રાજસ્થાન)જ્યારે બીજા ખેપિયાનું નામ પુછતાં તેણે પોતાનું નામ જીતુલાલ મંગુભાઈ પટેલ રહે.કુંદની આલ,તા સજજનગઢ,જિલ્લો. બાસવાડા(રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું.આ બંને આરોપીઓને પ્રોહી મુદ્દામાલની આંતરરાજ્ય હેરાફેરી પરિવહન કરી લાવી ગુન્હો કરવા સબબ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સંબંધિત પોસ્ટ

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24