Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

લીમખેડા તા.૧૧, મયુર રાઠોડ દ્રારા
લીમખેડા તાલુકાના વલુંડી ગામે ગઈકાલે રાત્રે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ એક પીકઅપ જીપ ગાડી અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પીકપ માં સવાર ત્રણ મુસાફરોને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી જે પૈકી એક એક 57 વર્ષીય મુસાફરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું
ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા મુકેશ પાર્સિંગ મોહનીયા પોતાના કબજાની પીકઅપ જીપ ગાડી માં તેના દાદા વજેસીંગભાઈ મથુરભાઇ . મોહનીયા ઉવ . આશરે ૫૭ રહે . તથા ભત્રીજી જાનુબેન મંગુભાઇ ઉવ . ૫ વર્ષ રહે ઉંડાર સહિત ત્રણ વ્યક્તિઓ તેઓના કુટુબી ભાઇ મંગુભાઇનાઓ અમદાવાદ મજુરી કરતો હોય તેઓની પાસે જવા માટે નીકળ્યા હતા દરમિયાન રાત્રીના એકાદેક વાગ્યે રસ્તામાં વલુન્ડી ગામે પહોંચતા અને ચાલુ વરસાદ ના કારણે આગળના કાચથી ઓછું દેખાતા ગાડી પુરઝડપે હોવાથી પીકઅપ ગાડી આગળ હાઈવે રસ્તાની બાજુમાં ઉભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને જીપમાં સવાર મુકેશ પાર્સિંગ મોહનીયા, જાનુ બેન મંગુ, તથા તેના દાદા વજેસીંગભાઇ મથુરભાઈ ઉવ . આશરે ૫૭ નાઓને ઇજાઓ થવા પામી હતી જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા વજેસિંગ મથુર મોહનીયા નું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .
આ બનાવ સંદર્ભે ઉંડાર ગામના મુકેશ પાર્સિંગ મોહનીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24