Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

  • આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે
  • વક્તા સુશ્રી ઇલાબેન દેસાઇ, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર વકતવ્ય આપશે
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.21
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે માહિતી નિયામકશ્રીની કચેરી અને પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાહોદ જિલ્લાનું યોગદાન વિષયક પ્રેસ પરિસંવાદનું આગામી તા. ૨૩ સપ્ટેમ્બર ને ગુરુવારે આયોજન કરવામાં આવ્યું છે. દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેના સભાખંડમાં સવારે ૧૦ વાગ્યાથી આ કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા વક્તા સુશ્રી ઇલાબેન દેસાઇ આઝાદીના સંગ્રામમાં દાહોદ જિલ્લાનાં યોગદાન વિશે વાત કરશે.
આ પરિસંવાદનાં અધ્યક્ષ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી આઝાદી કા અમૃત મહોત્સવનું મહાત્મ્ય જણાવશે અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર પણ આઝાદી અને સ્વયંશિસ્ત વિષય વક્તવ્ય આપશે. આઝાદીના સંગ્રામમાં દાહોદ જિલ્લાના યોગદાન વિશે સુશ્રી ઇલાબેન વિગતવાર વાત કરશે. સુશ્રી ઇલાબેન મહિલા અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે ફરજ બજાવી છે. તેણી સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવે છે. તેમણે મહિલા શિક્ષણનાં ક્ષેત્રમાં નોંધનીય યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આઝાદીનાં ૭૫ વર્ષ પૂરા થતાં દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન વિશે ખાસ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24