Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

  • લીમખેડા તાલુકાના કયા ગામે હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં એ કંડકટરનું ઘટનાસ્થળે મોત જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
  • Advertisement
  • લીમખેડા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ડેસ્ક ચાયત સમાચાર24, તા.30
લીમખેડા તાલુકાના દાંતિયાં ગામ પાસે હાઈવે રસ્તા ઉપર ગતરાત્રે બગડેલી હાલતમાં ઊભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો જેને લઇને ટ્રકમાં સવાર ક્લીનરનું થયેલી ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ ઉપર જ મોત થયું હતું જયારે ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.

બનાસકાંઠા જિલ્લા ના ભાભર ખાતે રહેતા ટ્રક ના ચાલક ભગવાન ઉર્ફે હકો ઈશ્વર ઠાકોર પોતાના કબજાની ટ્રક માં દાહોદથી ચોખા ભરીને ગઈકાલે રાત્રે બાવળા ખાતે ડીલેવરી આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રે રસ્તામાં લીમખેડા નજીક દાતિયા ગામ પાસે પહોંચતા તેઓની ટ્રક ની પાછળના વ્હીલના નટબોલ તૂટી જતા ટ્રકના ચાલક ભગવાન ઉર્ફે હાકો ઈશ્વર ઠાકોરે પોતાના કબજાની ટ્રક રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી આ દરમિયાન રાત્રિના ૧.૩૦ કલ્લાકના સુમારે મધ્યપ્રદેશના પાર્સિંગ વાળી ટ્રક આ ઉભેલી ટ્રક ને પાછળથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને મધ્યપ્રદેશની ટ્રકમાં સવાર ક્લીનર માલસિંગ ભૂરેસિંગભાઈ વાસ્કેલ (૨૮) રહે ચાંદદૂદ તા. ગધવાની જી. ધાર (એમ.પી) નું શરીરે તથા માથામાં થયેલી ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયું હતું તો આ જ ટ્રકમાં સવાર એક વ્યક્તિ તથા ચાલક મળી બે વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે ટ્રકની પાછળ ધડાકાભેર ટ્રક ભટકાતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ બનાવ સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રહેતા ભગવાન ઉર્ફે હકો ઈશ્વર ઠાકોરે નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24