Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

  • દાહોદ મા લાંચીયા અધિકારીઓ ઉપર તવાઈ
  • પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા
  • Advertisement
  • મકાન નો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલા મા રૂ 500 ની લાંચ ની માંગણી કરી
  • પીપલોદ ના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રુ. 305 લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા
  • પંચમહાલ એસીબી એ રંગે હાથ ઝડપી પાડયા
  • દિવાળી પૂર્વે એસીબીના એસીબીના સપાટા થી જિલ્લાના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.04
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પટેલ ને રૂપિયા ૩૦૫ ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડતા સમગ્ર દાહોદ જીલ્લાના તલાટી કમ મંત્ આ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ ગામના એક જાગૃત નાગરિકે નવું મકાન બનાવી તેની આકારણી રજીસ્ટરે નોંધણી માટે પીપલોદ ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલ પાસે ગયા હતા ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીએ નોંધણી કરવા અંગે જાગૃત નાગરિક પાસે મકાન નો વેરો વસૂલી લઇ તેની પાવતી આપવાના બદલામાં તલાટી કમ મંત્રી આર.વિ. પટેલે રૂપિયા ૫૦૦ ની લાંચની માંગણી કરેલ ત્યારે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતા ન હોય જેથી આ જાગૃત નાગરિક દ્વારા એ સી બી ની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી પંચમહાલ એ સી બી ગોધરા ખાતે ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવી જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપતા રૂપિયા ૩૦૫ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, પંચમહાલ એ.સી.બી. એ લાંચીયા તલાટીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી, દિવાળી પૂર્વે દાહોદ જીલ્લામા એ.સી.બી ના સપાટા થી લાંચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મા ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24