Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

  • દાહોદ મા લાંચીયા અધિકારીઓ ઉપર તવાઈ
  • પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા
  • Advertisement
  • મકાન નો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલા મા રૂ 500 ની લાંચ ની માંગણી કરી
  • પીપલોદ ના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રુ. 305 લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા
  • પંચમહાલ એસીબી એ રંગે હાથ ઝડપી પાડયા
  • દિવાળી પૂર્વે એસીબીના એસીબીના સપાટા થી જિલ્લાના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.04
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પટેલ ને રૂપિયા ૩૦૫ ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડતા સમગ્ર દાહોદ જીલ્લાના તલાટી કમ મંત્ આ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ ગામના એક જાગૃત નાગરિકે નવું મકાન બનાવી તેની આકારણી રજીસ્ટરે નોંધણી માટે પીપલોદ ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલ પાસે ગયા હતા ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીએ નોંધણી કરવા અંગે જાગૃત નાગરિક પાસે મકાન નો વેરો વસૂલી લઇ તેની પાવતી આપવાના બદલામાં તલાટી કમ મંત્રી આર.વિ. પટેલે રૂપિયા ૫૦૦ ની લાંચની માંગણી કરેલ ત્યારે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતા ન હોય જેથી આ જાગૃત નાગરિક દ્વારા એ સી બી ની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી પંચમહાલ એ સી બી ગોધરા ખાતે ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવી જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપતા રૂપિયા ૩૦૫ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, પંચમહાલ એ.સી.બી. એ લાંચીયા તલાટીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી, દિવાળી પૂર્વે દાહોદ જીલ્લામા એ.સી.બી ના સપાટા થી લાંચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મા ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24