Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

  • લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની ટુટેલી રેલિંગના સમાચાર પ્રસિદ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ
  • નાળાની ટુટેલી રેલિંગના સમારકામ તાત્કાલિક શરૂ કરાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.21
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં હોવાનો અહેવાલ પંચાયત સમાચાર24 દ્વારા તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામા આવ્યા હતો, જે અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી તૂટેલી નાળાની રેલીંગના સમારકામ ની કામગીરી શરુ કરવામા આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ હોવાના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી ગઈ હતી, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ આ નાળાની રેલિંગ ને સમારકામ કરવામા કોઈ રસ દાખવ્યો ન હતો, જેને લઈને પંચાયત સમાચાર24 દ્વારા અધિકારીઓની બેદરકારી મામલે સમગ્ર અહેવાલ તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામા આવ્યો હતો, જે અહેવાલ ના પગલે માર્ગ અને મકાન વિભાગ સફાળુ જગ્યુ હતુ અને લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગના સમારકામની કામગીરી શરુ કરી હતી. નાળાના રેલિંગ નૂ સમારકામ થતા વાહન ચાલકો સહીત સ્થાનિકોમા ખુશી જોવા મળી હતી.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin