Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

  • PSI, ASI અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકો અપાયા
  • ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ તમામ ઉમેદવારોને અપાશે પુસ્તકો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11
દાહોદ જિલ્લા પંચાયત ની સલરા બેઠકના જિલ્લા સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી દ્વારા હાલ માં યોજાયેલ પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં જે લોકોએ ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ પાસ કર્યું હોય તેવા દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠક વિસ્તાર ના વિદ્યાર્થીઓને આવનાર લેખિત પરીક્ષાઓ માં પુરતુ માર્ગદર્શન મળી રહે અને પરીક્ષામા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, અને સમાજનુ નામ રોશન કરે તેવા હેતુસર આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે જરૂરિયાત મુજબના તમામ પુસ્તકો નો શેટ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, સલરા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી ની આ ઉમદા કામગીરી ને લોકોએ પણ બિરદાવી હતી, અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સમાજની સેવા કરતા રહે તેવી અપેક્ષા પણ લોકોએ વ્યક્ત કરી હતી.
સલરા જીલ્લા પંચાયત સીટ મા સમાવિષ્ટ વિસ્તાર માંથી પોલીસ વિભાગ ની પી.એસ.આઇ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોએ પરીક્ષા લગતા પુસ્તકોને સેટ વિના મુલ્યે મેળવવા માટે ફીઝીકલ ટેસ્પાટ પાસ કરેલો સિક્કો મારેલ કોલ લેટર લઈને આવવાનું રહેશે.
જે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાલક્ષી સાહિત્ય માટે લાભ લેવા માગતા હોય તેઓ અગાઉથી પોતાનું નામ અને નંબર નીચે આપેલા નંબર પર લખવાનો રહેશે.
મુકેશભાઈ (ઉર્ફે ટીનો) :9512927777

સંબંધિત પોસ્ટ

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24