Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

  • 22મી લગ્નતિથિએ ધો-10ના 2200 વિદ્યાર્થીઓને બુકલેટો અર્પણ કરી
  • વિદ્યાર્થીઓને ગણિત – વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની નોખી ઉજવણી કરી
  • Advertisement
  • શિક્ષણમાં જ વણાઇ ગયા ત્યારે શિક્ષણને જ દરેક પ્રસંગમાં વણી લેવાનો સફળ પ્રયત્ન કર્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
લગ્નની તિથિની ઉજવણી કરવાની નોખી રીતો જોવા મળી રહી છે.ત્યારે કેટલાક યુગલો આ દિવસે પુનઃ પ્રભુતામાં પગલા પણ પાડે છે પરંતુ પ્રિય વિષય અને પોતે જે માધ્યમથી સમાજ સેવા કરતા હોય તેને જ માધ્યમ બનાવી પોતાના જીવનના આવા દિવસોોને યાદગાર બનાવનારા જૂજ ઉદાહરણો હોય છે.તેવી જ રીતે દાહોદના એક શિક્ષકવિદે પોતાની 22મી લગ્ન તિથિ નિમિત્તે ધોરણ 10 ના 2200 વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોના એસાઇનમેન્ટ વિતરણ કરીને આ દિવસને યાદગાર બનાવવાની સાથે આજના યુવાનોને એક નવી દિશા બતાવી છે.
પોતાના સુખી દાંપત્યજીવનની ઉજવણી કરવા માટેનો સપરમો દિવસ એટલે પોતાની લગ્ન તિથિ એટલે કે મેરેજ એનીવર્સરી.સામાન્ય રીતે કેક કાપીને કે એક બીજાને ભેટ સોગાદો આપીને ખાણી પીણી સાથે આ દિવસની ઉજવણી કરવી એ સામાન્ય છે.ત્યારે કેટલાક માલેતુજારો મોટા આયોજનો પણ કરે છે અથવા તેમના ફરજંદો આ દિવસની ઉજવણી પાછળ લાખો રુપિયાના ખર્ચ કરે છે.કેટલાક દંપત્તિઓ હવે આ દિવસે દાન કરીને પૂણ્ય પણ કમાય છે તો કેટલાક ખાસ ફોટોો સૂટ કરાવે છે.ધાર્મિક કાર્યક્રમોના આયોજનો પણ થાય છે તો લગ્ન જીવનના 25 વર્ષ પૂર્ણ થાય તો ફરીથી સપ્તપદીના ફેરા ફરીને લગ્નની યાદો તાજી કરવામાં આવે છે.
તેવા સમયે દાહોદ પાસે લીમડીમાં રહેતા નરેન્દ્ર અમૃતલાલ સોનીએ પણ તારીખ 22 જાન્યુઆરીના રોજ પોતાની લગ્નતિથિની ઉજવણી કરી હતી.નરેન્દ્ર સોની વ્યવસાયે શિક્ષક હતા અને હાલ ધી ન્યુ એચીવર પ્રિ સાયન્સ સ્કુલ, લીમડી,શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, લીમડી અને દાહોદમાં સનરાઇઝ પબ્લીક સ્કુલ અને એમએનઆર એજ્યુકેશન એકેડેમી ચલાવી રહ્યા છે.આમ મૂળ શિક્ષણનો જીવ હોવાથી તેમણે લગ્નતિથિ નિમિત્તિ શિક્ષણલક્ષી ભેટ જ આપવાનો વિચાર કર્યો હતો.બીજી તરફ હાલ કોરોોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાથી શાળાઓમાં ઓન લાઇન શિક્ષણ ચાલી રહ્યુ છે,માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આવા વિકટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેના પડકારમય સમયમાં આ અવસર કેવી રીતે યાદગાર બની રહે તેેના માટે તેમણે નોખી ભેટ આપવાનુ નક્કી કર્યુ હતુ.આમ પણ બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા પડતા હોય છે ત્યારે તેમણે તેમની 22મી લગ્નતિથિ નિમિત્તે ધોરણ 10ના 2200 વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના એસાઇનમેન્ટ ભેટ આપ્યા હતા.આ એસાઇન્મેન્ટમાંથી જ તેમને સમયાંતરે પ્રશ્નપત્રો પણ આપવામાં આવશે અને તેેમની કસોટી સાથે ગુણવત્તા પણ ચકાસી શકાશે.ઉપરાંત અન્ય કેટલાયે વિદ્યાર્થીઓને સોશ્યલ મિડીયાના માધ્યમથી પણ આ એસાઇન્મેન્ટ પહોંટાડવામાં આવ્યા છે.આમ એક શિક્ષણવિદે શિક્ષણને જ માધ્યમ બનાવી શિક્ષણની જ ભેટ આપી શિષ્યોને સુદ્રઢ રીતે શિક્ષિત કરવાની નેમ સાથે પોતાની લગ્નતિથિ સદાયને માટે સ્મરણીય બને તેવો નોખી ઉજવણી કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24