Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

  • જીલ્લાના 2200 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

  • 2જી ઓક્ટોબરથી ગાંધીનગર ખાતે ભુખ હડતાલમા જોડાશે

  • Advertisement

પંચાયત સમાચાર24 તા.22

દાહોદ જીલ્લાની સરકારી કચેરીઓમા આઉટસોર્સિંગ મારફતે ફરજ બજાવતા કર્મચારીઓ કલેક્ટર કચેરીના  પટાગણમા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કચેરીમા મોટા ભાગની સેવાઓ પર અસર પહોચી હતી.

વિધાનસભાની ચુંટણી નજીક આવતા સરકારી કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર અપનાવીને પોતાની માંગણીઓ સ્વીકરવા સરકાર સામે બાયો ચઢાવી છે, ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી દાહોદ જીલ્લાની વિવિધ કચેરીઓમા ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના 2200 જેટલા કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરતા સરકારી કચેરીઓના કામ કાજ પર અસર પહોચી હતી, ખાસ કરીને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રો સંપૂર્ણ પણે બંધ હાલમા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓએ સરકાર પાસે સમાન કામ, સમાન વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગો સ્વિકારવામા આવે અને તેમના પ્રશ્નો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

સત્તાના નશામાં ચૂર શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવીએ મર્યાદા ઓળંગી: ‘તારી પત્નીને મારી પાસે મૂકી જજે’ કહી મહિલા સભ્યનું અપમાન કર્યું, મહિલા સભ્યના પતિને ફોન પર બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24