Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

  • જીલ્લાના 2200 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

  • 2જી ઓક્ટોબરથી ગાંધીનગર ખાતે ભુખ હડતાલમા જોડાશે

  • Advertisement

પંચાયત સમાચાર24 તા.22

દાહોદ જીલ્લાની સરકારી કચેરીઓમા આઉટસોર્સિંગ મારફતે ફરજ બજાવતા કર્મચારીઓ કલેક્ટર કચેરીના  પટાગણમા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કચેરીમા મોટા ભાગની સેવાઓ પર અસર પહોચી હતી.

વિધાનસભાની ચુંટણી નજીક આવતા સરકારી કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર અપનાવીને પોતાની માંગણીઓ સ્વીકરવા સરકાર સામે બાયો ચઢાવી છે, ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી દાહોદ જીલ્લાની વિવિધ કચેરીઓમા ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના 2200 જેટલા કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરતા સરકારી કચેરીઓના કામ કાજ પર અસર પહોચી હતી, ખાસ કરીને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રો સંપૂર્ણ પણે બંધ હાલમા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓએ સરકાર પાસે સમાન કામ, સમાન વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગો સ્વિકારવામા આવે અને તેમના પ્રશ્નો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24