Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગામી 4 દિવસ વધુ વરસાદ પાડવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં વડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના ચોથા રાઉન્ડમાં ભરૂચ- વડોદરાના તાલુકોમાં ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યના 26 તાલુકામાં વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ,  તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. અને ત્રણ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. 25-26 તારીખે વરસાદ વધવાની સંભાવના છે. સ્થાનિક હવામાન વિભાગે પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને 25-26 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બે દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતાઓ નથી પરંતુ 26 તારીખથી હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે જેના કારણે રાજ્યમાં 25-26 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!