Panchayat Samachar24
Breaking News
અન્યગુજરાતતાજા સમાચારદાહોદસીંગવડ

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

  • સિંગવડ ગામમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ
  • ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસને કરી રજૂઆત
  • Advertisement
સીંગવડ તા.14
સિંગવડ ગામ તસ્કરો માટે જાણે મોકલું મેદાન બન્યું હોય તેમ ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપીને ફરાર થઈ જાય છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સિંગવડ નગર માં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તરખાટ મચાવતા આજે સિંગવડ ગામના જાગૃત ગ્રામજનોએ રણધીકપુર પોલીસ મથકનો પીઆઇ એન.કે.ચૌધરી ને લેખિતમાં આવેદનપત્ર આપી રાત્રી દરમિયાન ચોરી થતી અટકાવવા રજૂઆત કરી હતી.
સિંગવડ નગરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ આતંક મચાવ્યો છે, ત્યારે પોલીસના  ગ્રામરક્ષક દળ તેમજ હોમગાર્ડના જવાનો કેટલાક સમયથી કાયમી ગેરહાજરી જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોએ આજ રાતથી જ રાત્રી દરમિયાન પોતાના કિમતી સામાનની સુરક્ષા માટે જાતે જ રોન ફરવાની શરૂઆત કરશે તેવી રજૂઆત  કરવામાં આવી હતી, જેમાં રણધીકપુર પોલીસ મથકના પીઆઇ એન.કે.ચૌધરી તેમજ પીએસઆઇ જી.બી.રાઠવા એ ગ્રામજનોને રણધીકપુર પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે બહાર ગામના રહેવાસીઓ કેટલાક મકાનોમાં ભાડે રહેતા હોય મકાનમાલિકોએ પોલીસ વેરિફિકેશન કરવા માટે ખાસ સૂચના આપી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો મકાન માલિકની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. સીંગવડ ગામમા પુરતા હોમગાર્ડ અને જી.આર.ડી. ના પોઈન્ટ ગોઠવવા માટે તેમજ જરૂરિયાત પડે તો વધૂ પોલીસના જવાનો ગોઠવીને સીગવડ મા થતી ચોરીઓ અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં અખાદ્ય આઈસ્ક્રીમ, કુલ્ફી અને કેરીના રસનુ ખુલ્લેઆમ વેચાણ: લોકોના જીવ જોખમે, તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે ભયંકર ખેલ: આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો

Panchayat Samachar24