Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્પિટલમાં શરૂ થનાર નવી સુવિધા નુ ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે રિબિન કાપીને કર્યું, જેને લઈને ઉપસ્થિત લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે આ નવી સુવિધાઓના શુભારંભના સાક્ષી બન્યા હતા.

 

આ ઉદ્ઘાટન સમારોહમાં સાધુ-સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ પ્રયાસને આશીર્વાદ આપીને સમાજના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ચારભૂજા ક્લિનિકલ લેબોરેટરીની શરૂઆત સાથે હવે લોહીના તમામ પ્રકારના રિપોર્ટ્સ જેવા કે B12, D3, RBS, વિટામિન અને કેલ્શિયમના રિપોર્ટ્સ સહિત અન્ય જરૂરી તપાસો પણ કરવામાં આવશે.

આ નવી આરોગ્ય સુવિધાઓથી લીમખેડા અને આસપાસના વિસ્તારોના લોકોને મોટો લાભ મળશે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને અદ્યતન તબીબી સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે અને લોકોને દૂરના શહેરોમાં જવાની જરૂર ઘટશે.

આ કાર્યક્રમને સ્થાનિક લોકોએ આવકાર્યો અને તેને આ વિસ્તારના વિકાસમાં એક મહત્વનું પગલું ગણાવ્યું. આ સુવિધાઓ શરૂ થવાથી દાહોદ જિલ્લાના ગ્રામીણ સમુદાયને આધુનિક આરોગ્ય સંભાળનો લાભ મળશે, જે સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24