Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

સમગ્ર દાહોદ જીલ્લામા વહીવટી તંત્ર કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા સતર્ક બન્યું છે. ત્યારે દાહોદ કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા ફતેપુરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે જતા હતા, થે દરમ્યાન રસ્તામા ડીજે મળ્યું હતુ. દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ પ્રતિબંધ હોવા છતા ડી.જે. વગાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે ડી.જે. જપ્ત કરી સુખસર પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતુ.

દાહોદ જીલ્લામા કોરોનાનો ફેલાવો અટકે તેમજ ઓછામાં ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જીલ્લા કલેકટર, એસ.પી.અને તેમની ટીમ દ્રારા લોકોમા જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરુપે ફતેપુરા ખાતે પણ કલેકટર વિજય ખરાડી, એસ પી હિતેશ જોઇસર મુલાકાત લેવા આવી પહોચ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઇને સમીક્ષા બેઠક કરી હતી કલેક્ટરે અધિકારીઓને કોવીડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા તેમજ કોરોનાના સ્થિતિવિશે સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટરે ફતેપુરા તાલુકાના લોકોને જીલ્લાની સાથે સાંજના ચાર વાગ્યાના સ્વયભુ બંધના જાહેરનામા સમથન આપી ધંધારોજગાર બંધ રાખી સહભાગી બને અને રાત્રિ કફયુનુ પણ પાલન કરે તે માટે અપિલ કરી છે. બીજી તરફ જિલ્લામા કલેકટરે જ ડી.જે પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતા કલેકટરને જ રસ્તામા ડી.જે. ભટકાઈ ગયુ હતુ. જેથી તાત્કાલિક આ ડીજેને સુખસર પોલીસ મથકે જપ્ત કરાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હતી. કલેક્ટર ના કડક વલણ ને લલઈને ડી.જે. સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24