Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

સમગ્ર દાહોદ જીલ્લામા વહીવટી તંત્ર કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા સતર્ક બન્યું છે. ત્યારે દાહોદ કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા ફતેપુરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે જતા હતા, થે દરમ્યાન રસ્તામા ડીજે મળ્યું હતુ. દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ પ્રતિબંધ હોવા છતા ડી.જે. વગાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે ડી.જે. જપ્ત કરી સુખસર પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતુ.

દાહોદ જીલ્લામા કોરોનાનો ફેલાવો અટકે તેમજ ઓછામાં ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જીલ્લા કલેકટર, એસ.પી.અને તેમની ટીમ દ્રારા લોકોમા જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરુપે ફતેપુરા ખાતે પણ કલેકટર વિજય ખરાડી, એસ પી હિતેશ જોઇસર મુલાકાત લેવા આવી પહોચ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઇને સમીક્ષા બેઠક કરી હતી કલેક્ટરે અધિકારીઓને કોવીડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા તેમજ કોરોનાના સ્થિતિવિશે સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટરે ફતેપુરા તાલુકાના લોકોને જીલ્લાની સાથે સાંજના ચાર વાગ્યાના સ્વયભુ બંધના જાહેરનામા સમથન આપી ધંધારોજગાર બંધ રાખી સહભાગી બને અને રાત્રિ કફયુનુ પણ પાલન કરે તે માટે અપિલ કરી છે. બીજી તરફ જિલ્લામા કલેકટરે જ ડી.જે પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતા કલેકટરને જ રસ્તામા ડી.જે. ભટકાઈ ગયુ હતુ. જેથી તાત્કાલિક આ ડીજેને સુખસર પોલીસ મથકે જપ્ત કરાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હતી. કલેક્ટર ના કડક વલણ ને લલઈને ડી.જે. સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24