Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

  • ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

  • સરપંચ-તલાટી કમ મંત્રી દ્રારા દબાણ દુર કરાવવામા નહિ આવેતો કડક કાર્યવાહી કરાશે

  • Advertisement

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી માલીકીની જમીનો પર ભૂ-માફિયાઓ દ્રારા ગેરકાયદેસર દબાણ કરી દેવાયા છે, જે દબાણો દૂર કરવા માટે ફતેપુરાના ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનીક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામા આવી છે. અરજદારોની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવા મા આવતા લોકમાં ભારે રોષ ફેલાયો હતો, છેલ્લા બે દિવસથી ફતેપુરા નગરના દબાણો બાબતે સોશિયલ મીડિયામાં સમાચારો ના મેસેજ વાયરલ થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક હરકતમા આવ્યા હતા અને તાત્કાલિક દબાણો દૂર કરી અહેવાલ મોકલવા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી હતી. ગ્રામ્ય કક્ષાએ સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી તલાટી કમ મંત્રી અને સરપંચ ની હોવા છતા ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા દબાણો દુર કરવા કોઈ અસરકારક કાર્યવાહી નહિ કરવામા આવતા ગ્રામજનો મા પંચાયત ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામ પંચાયત ને પંચાયત ધારો -૧૯૯૩ ની કલમ- ૧૦૫ – અન્વયે દબાણો દુર કરવાની સત્તાઓ સરકાર દ્વારા ગ્રામ પંચાયતને સોપેલ છે. પંચાયત ગેરકાયદેસર થયેલ દબાણો દુર કરવામા નિષ્ફળ જાય તો ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જોગવાઇ પંચાયત ધારામા કરવામા આવી છે, ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયતને નોટીસ આપી તાત્કાલિક દબાણ દુર કરી અહેવાલ સુપ્રત કરવા જણાવતા ભૂ-માફિયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24