Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધાનપુર

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • ધાનપુરના દુધામલી ગામે દિપડાને પજવણીનો વિડીયો વાયરલ
  • વનવિભાગે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
  • Advertisement
  • કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધાળા ગામે બે દિવસ અગાઉ એક ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા દીપડાને દોરડા વડે બાંધી પજવણી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોના આધારે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વીડિયોમાં દેખાતા ત્રણ ઈસમો વિરુદ્ધ વનવિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ને અડીને આવેલા રતન મહાલ જંગલમાં દિપડાની વસ્તી માં વધારો જોવા મળ્યો છે જેના કારણે ખોરાકની શોધમાં જંગલને અડીને આવેલા ગામોમાં દીપડાઓ અવાર નવાર આવતા હોય છે હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મકાઇના પાકને મેળવવા માટે ખેડૂત પરિવારો ખેતરમાં જતા હોય છે તે સમય દરમિયાન દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે બે દિવસ અગાઉ એક દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવી પહોંચ્યો હતો જે દીપડો ગ્રામજનોની નજરે પડતાં ગામજનોએ ટોળે વળીને દીપડાને ઘેરીને દોરડા વડે બાંધી તેની પજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો વાયરલ થતાં વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવીને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી, સમગ્ર સંદર્ભે વન વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમા જે લોકો દ્વારા દીપડાને પજવણી કરવામાં આવી હતી તેમાંના ત્રણ ઈસમોની વનવિભાગે ધરપકડ કરી ત્રણેય વિરોધ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા વનવિભાગે સમગ્ર ઘટના મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24