Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધાનપુર

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • ધાનપુરના દુધામલી ગામે દિપડાને પજવણીનો વિડીયો વાયરલ
  • વનવિભાગે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
  • Advertisement
  • કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધાળા ગામે બે દિવસ અગાઉ એક ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા દીપડાને દોરડા વડે બાંધી પજવણી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોના આધારે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વીડિયોમાં દેખાતા ત્રણ ઈસમો વિરુદ્ધ વનવિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ને અડીને આવેલા રતન મહાલ જંગલમાં દિપડાની વસ્તી માં વધારો જોવા મળ્યો છે જેના કારણે ખોરાકની શોધમાં જંગલને અડીને આવેલા ગામોમાં દીપડાઓ અવાર નવાર આવતા હોય છે હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મકાઇના પાકને મેળવવા માટે ખેડૂત પરિવારો ખેતરમાં જતા હોય છે તે સમય દરમિયાન દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે બે દિવસ અગાઉ એક દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવી પહોંચ્યો હતો જે દીપડો ગ્રામજનોની નજરે પડતાં ગામજનોએ ટોળે વળીને દીપડાને ઘેરીને દોરડા વડે બાંધી તેની પજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો વાયરલ થતાં વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવીને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી, સમગ્ર સંદર્ભે વન વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમા જે લોકો દ્વારા દીપડાને પજવણી કરવામાં આવી હતી તેમાંના ત્રણ ઈસમોની વનવિભાગે ધરપકડ કરી ત્રણેય વિરોધ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા વનવિભાગે સમગ્ર ઘટના મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24