Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

  • રાજ્ય મા ડ્રગ્સ ની હેરાફેરી અટકાવવા સરકાર એકશન મા આવી
  • ડ્રગ્સ માફિયાઓની માહિતી આપવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
  • Advertisement
  • ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે
  • માહિતી આપનાર ની ઓળખ ગુપ્ત રાખવામા આવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.29
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ગુનેગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્ય ના પોરબંદર જીલ્લાના દરિયા કાંઠા નજીક થી હજારો કરોડ રુપીયાની કિંમતનાં હેરોઈન ડ્રગ્સ સાથે વિદેશી ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી.

 

ગુજરાતના દરિયા કાંઠે આવેલા મુંદ્રા પોર્ટ પરથી ડી.આઈ.આર. એ કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, તે સંજોગોમા ગુજરાતનાં CID ક્રાઈમ બ્રાંચ  દ્વારા નશાખોરીને અટકાવવા અને ડ્રગ્સની હેરાફેરી રોકવા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે. જેના કારણે હવે ડ્રગ્સને લગતી કોઈ પણ માહિતી ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે. આ ટોલ ફ્રી નંબર પર ગુજરાતમાં નાર્કોટિક્સ ડ્રગ્સનાં ઉત્પાદન, વેચાણ, અને સેવનની પ્રવૃતિ અટકાવવા જાહેર જનતાની મદદ લેવા માટે સરકાર દ્વારા આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેમા ગાંજો, ચરસ, અફિણ, કોકેઈન, હેરોઈન, કેટામાઈન, એમ.ડી જેવા ગુજરાત રાજ્ય મા પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ્સનુ ઉત્પાદન કરનાર, તેમજ શાળા, કૉલેજ, ઓદ્યોગિક વસાહતો, રહેણાંક વિસ્તારોની આસપાસ આ ડ્રગ્સનું વેચાણ કરનારા, ગેરકાયદેસર નશાકારક દવાઓ, અથવા પદાર્થોની હેરાફેરી કરનારા અથવા તો તેના જથ્થાનો સંગ્રહ કરે તેવા વ્યક્તિની જાણ આ ટોલ ફ્રી નંબર 1908 પર કરી શકાશે. CID ક્રાઈમને ટોલ ફ્રી નંબર પર માહિતી આપનારા વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. માહિતી આપનાર ઈસમની માહિતી ના આધારે ગુન્હાખોરી અટકાવવા મા મદદરૂપ થનાર ઈસમને યોગ્ય ઇનામ પણ સરકાર દ્વાર આપવામા આવશે. તેવી માહિતી મળી રહી છે.

સંબંધિત પોસ્ટ

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24