Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

  • કોરોના વેક્સિન ન લેનાર લોકો માટે સરકારી નિયંત્રણ લગાવ્યા
  • કોરોના વેક્સિન નહિ લેનારને કેટલીક જગ્યાઓ પર પ્રવેશ પર પ્રતિબંધ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
સમગ્ર દેશ સહિત દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ ના ભરડામા છે, કોરોના સંક્રમણના અટકાવવા અનેક નિયમો અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યા છે, કોરોના સંક્રમણને રોકવા માટે રસી એકમાત્ર ઉપાય છે. કોરોના વાયરસ સામે ભારત પણ સતત મજબૂતી સાથે લડી રહ્યુ છે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિકને વિનામૂલ્યે પોરણા વ્યક્તિના બે ડોઝ આપી તેને કરુણાથી સુરક્ષિત કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 110.23 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમ છતાં હજી ઘણા લોકો એવા છે જેઓએ કોવિડ-19 રસી લીધી નથી જેને લઈને ગુજરાત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે.
ગુજરાત સરકારે એવા લોકો માટે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે, જે લોકો યોગ્યતા ધરાવતા હોવા છતાં કોરોના વેક્સિન લેતા નથી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ  18 વર્ષથી વધુ ઉંમરના જેઓ રસી માટે લાયક છે અને હજુ સુધી પ્રથમ કે બીજો ડોઝ મળ્યો નથી, તેમને એએમટીએસ, બીઆરટીએસમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જવા દેવામાં આવશે નહીં.
નવી માર્ગદર્શિકા અનુસાર લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ ઇમારતોમાં પ્રવેશતા પહેલા રસીના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. સરકારની આ સૂચના બાદ હવે આવા લોકો કાં તો વહેલામાં વહેલી તકે રસી આપવા માટે આગળ આવશે અથવા તો તેઓએ તેમના ઘરે જ રહેવું પડશે.
મયુર રાઠોડ,  મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24