Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

  • કોરોના વેક્સિન ન લેનાર લોકો માટે સરકારી નિયંત્રણ લગાવ્યા
  • કોરોના વેક્સિન નહિ લેનારને કેટલીક જગ્યાઓ પર પ્રવેશ પર પ્રતિબંધ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
સમગ્ર દેશ સહિત દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ ના ભરડામા છે, કોરોના સંક્રમણના અટકાવવા અનેક નિયમો અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યા છે, કોરોના સંક્રમણને રોકવા માટે રસી એકમાત્ર ઉપાય છે. કોરોના વાયરસ સામે ભારત પણ સતત મજબૂતી સાથે લડી રહ્યુ છે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિકને વિનામૂલ્યે પોરણા વ્યક્તિના બે ડોઝ આપી તેને કરુણાથી સુરક્ષિત કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 110.23 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમ છતાં હજી ઘણા લોકો એવા છે જેઓએ કોવિડ-19 રસી લીધી નથી જેને લઈને ગુજરાત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે.
ગુજરાત સરકારે એવા લોકો માટે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે, જે લોકો યોગ્યતા ધરાવતા હોવા છતાં કોરોના વેક્સિન લેતા નથી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ  18 વર્ષથી વધુ ઉંમરના જેઓ રસી માટે લાયક છે અને હજુ સુધી પ્રથમ કે બીજો ડોઝ મળ્યો નથી, તેમને એએમટીએસ, બીઆરટીએસમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જવા દેવામાં આવશે નહીં.
નવી માર્ગદર્શિકા અનુસાર લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ ઇમારતોમાં પ્રવેશતા પહેલા રસીના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. સરકારની આ સૂચના બાદ હવે આવા લોકો કાં તો વહેલામાં વહેલી તકે રસી આપવા માટે આગળ આવશે અથવા તો તેઓએ તેમના ઘરે જ રહેવું પડશે.
મયુર રાઠોડ,  મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24